Loading...
WhatiRead માં હું યજ્ઞેશ પંડયા આપનું સ્વાગત કરું છું, WhatiRead ની શરૂઆત કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ મેં લંડનથી પ્રકાશિત થતા ગુજરાતી સામયિક 'ગરવી ગુજરાત', 'સંદેશ' અને અન્ય સામાયિક માટે મારા દ્વારા લખેલા કેટલાક પુસ્તક પરિચય, આરોગ્ય સંબંધી અને અન્ય આર્ટિકલ ને એક સ્થાને એકત્રિત કરવાનો, તેમજ મારા વિચારોને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મૂકવા માટેનો છે. ઉપરાંત, મારી આ વેબસાઇટ નું નામ WhatiRead રાખવા પાછળનું કારણ એ છે કે મારે ક્યાંક કંઈક સારુ વાંચવામાં આવ્યું હોય તેને સરળ ભાષામાં અહિયાં આ વેબસાઇટ ઉપર મુકવાનો વિચાર છે. આ ઉપરાંત સગા-મિત્રો, વાચકોને પણ કંઈક સારું વાંચવામાં આવ્યું હોય અને તેઓ પણ તેને લોકો સુધી પહોંચાડવા ઈચ્છતા હોય તો તેમના નામ સાથે તેને અહિયા મુકવાનો વિચાર છે.
WhatiRead માં આપનું સ્વાગત છે. WhatiRead શરૂ કરવાનો ઉદ્દેશ એ છે કે લંડનથી પ્રકાશિત 'ગરવી ગુજરાત', 'સંદેશ' અને અન્ય સામાયિકોમાં મારા દ્વારા લખેલા લેખો, પુસ્તક પરિચય અને આરોગ્ય સંબંધિત માહિતી એક જગ્યાએ લાવવી. આ વેબસાઇટનું નામ WhatiRead રાખવાનું કારણ એ છે કે જ્યાં કંઈક સારું વાંચું, તે સરળ ભાષામાં અહીં શેર કરું. સાથે જ, મિત્રો અને વાચકો પણ જો કંઈક સારું વાંચે અને તેને લોકો સુધી પહોંચાડવા ઈચ્છે, તો તેમના નામ સાથે પણ અહીં મૂકવાનો વિચાર છે. - યજ્ઞેશ પંડ્યા

આ અરૂણી કશ્યપનો એક અસામાન્ય વાર્તા સંગ્રહ છે જેમાં પ્રથમ વાર્તાથી જ લેખક એક એવી ભૂમિકા ઊભી કરે છે જેમાં એ વાચકોને એક એવા પ્રદેશમાં લઈ જાય છે જે પરિચીત પણ છે અને અપરિચીત પણ.આધુનિક પોસ્ટ કોલોનિઅલ વાતાવરણમાં ચિમામાંડા અને ડેનિયલ મુઈનુદ્દિન જેવા વાર્તાકારોની જેમ જ તેની વાર્તાઓમાં ગ્રામીણ શાંતિ અને ઉભરતાં શહેરોના કેટલાંક રહશ્યોને ઉજાગર કરે છે.આને પરિણામે આપણી સમક્ષ આવે છે આપણા દંભ અને ઈચ્છાઓ અને અપેક્ષાઓ અને પરાજયો – જે આપણા સહુની અંદર ઠાંસીઠાંસીને ભરેલાં છે. પ્રેમ, હિંસા, માતૃત્વ અને સેક્સ આરોપિત વાર્તાઓ દ્વારાકશ્યપ જાણે કે આપણને પુછતા હોય કે જે સ્થાન વિષે વારતાઓ કહેવામાં આવે છે તે શું છે? ખરેખર જે કહેવા જેવું છે કે આપણે જે કહેવા માગીએ છીએ તે આપણે કહીએ છીએ ખરા?

સામાન્ય રીતે, આંખોમાં બળતરા એ સામાન્યરીતે આંખના લુબ્રિકેશન (આંસુ) ના અભાવને કારણે થતી છે. તે ક્યારેક અચાનક જ થવા લાગે છે અને ઝડપથી દૂર પણ થઈ જાય છે. કેટલાક ખાસ કિસ્સાઓમાં તે અઠવાડિયા કે મહિનાઓ બળતરા રહેતી હોય છે. આ પીડાદાયક પણ હોઈ શકે છે અને તમારા રોજિંદા જીવનના માર્ગમાં આવી શકે છે, જેનાથી કામ કરવું અને વાહન ચલાવવું મુશ્કેલ બને છે. આંખોમાં બળતરાના કારણો જોઈએ તો તેમાં એક કારણ છે એલર્જી. જો તમને એલર્જીક નેઝલ ફિવર (પરાગરજ તાવ) અથવા અન્ય એલર્જી હોય , તો જ્યારે તમે પરાગ અથવા અન્ય એલર્જનની આસપાસ હોવ ત્યારે તમારી આંખોની બળતરા થઈ શકે છે. ધૂળ અથવા પાલતુ જાનવર જેવા એલર્જનને સ્પર્શ કર્યા પછી તમારી આંખોને સ્પર્શ કરવાથી પણ આંખમાં બળતરા થઈ શકે છે. આ ઉપરાંત, બીજું એક કારણ છે જેને બ્લેફેરિટિસ કહેવામાં આવે છે

આજના સમયમાં તમે સામાન્ય બાળકોને નહીં પરંતુ ડિજિટલ જનરેશનને ઉછેરી રહ્યા છો. આ ડિજિટલ જનરેશનનો ઉછેર આપણા પરંપરાગત બાળ ઉછેર કરતાં તદ્દન અલગ પ્રકારનો હોય એ સ્વાભાવિક જ છે. આમ તો આ જનરેશનના માતા-પિતા પોતાની બાળ ઉછેરને લગતી સમસ્યાઓ લઈને ગૂગલ પાસે જતા હોય છે. અને એમાં કંઈ ખોટું પણ નથી કારણ કે આજના વડિલો આજના ડિજિટલ યુગથી બહુ અલ્પ પરિચિત હોય છે, તેથી તેમની સલાહ ખાસ ઉપયોગી થતી નથી.ત્યારી શું કરી શકાય?

તમામ 85 દેશોનાં યુવાનોમાં ઉત્તરોત્તર ઘટતા જતા MHQ સ્કોર માટેના પરિબળો તારવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેમાં મુખ્યત્વે ચાર પરિબળો ધ્યાનમાં આવ્યાં છે; 1) કૌટુંબિક ભાવના 2) આધ્યાત્મિકતા કે ધાર્મિકતા 3) પ્રથમ સ્માર્ટ ફોન મેળવ્યાની વય અને 4) અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડ.
On પામેલા ચૌધરીની વાયા પામેલા બોર્ડેસ, પામેલા સિંઘની બદનામી થી ગુમનામી સુધીની સફર.
On ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ : સપનાઓ જોવાની પ્રેરણા, સંઘર્ષ માટે શીખ, અને સફળતા મેળવવાના સૂત્રો
On મોબાઈલ ફોન અને સ્વાસ્થ્ય | આપણા સહુના વધતા જતા સ્ક્રીન ટાઈમ સાથે આપણે તબિયત પણ સાચવવી જરૂરી
On ધામ | ચંબા - હિમાચલ પ્રદેશનો સાંસ્કૃતિક વારસો જે આરોગ્યની સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખે છે.

આપણામાંથી બહુ ઓછા લોકો એ વાતથી વાકેફ છે કે આપણે જેટલો મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરીએ છીએ, તેટલા આપણે મોબાઈલ ફોનના હાનિકારક વધુ રેડિયેશનના સંપર્કમાં આવીએ છીએ. મોબાઇલ ફોન એક રેડિયો ફ્રિકવન્સી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે જે નજીકના સ્ટેશનને શોધવા માટે તમામ દિશામાં પ્રસારે છે. આમ, જો કોઈ વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહી હોય, તો અમુક રેડિયો તરંગો તેના શરીર તરફ પણ સ્વાભાવિક જ જવાના જે તેના શરીરના પેશીઓ દ્વારા ઉર્જા તરીકે શોષાઈ જશે અને શરીરના ચયાપચય દ્વારા ઉત્પાદિત ઊર્જાને આગળ વેગ આપશે.

Reaching the temple, there is a trek of nearly three and a half kilometers through dense forests and rugged trails. On both sides of the path lie deep valleys, and the narrow trail culminates at the mountain peak where the temple is. For adventurers, nature lovers, and pilgrims alike, the journey itself becomes a spiritual experience.

ટોમોફોબિયા ડિસઓર્ડરના મુખ્ય લક્ષણોમાંનું એક ભયજનક વિષય અથવા પરિસ્થિતિને ટાળવાની અતિશય અને ગેરવાજબી ઇચ્છા છે. જ્યારે ડર વ્યક્તિના જ્ઞાનાત્મક અથવા ભાવનાત્મક નિયંત્રણની બહાર હોય અથવા ડર રોજિંદા જીવનની પ્રવૃત્તિઓમાં અસર કરે ત્યારે આ પ્રકારના ડિસઓર્ડરનું નિદાન કરી શકાય છે.

લંડન થી કલકત્તા બસ સેવા જેને યાત્રા પૂર્ણ કરવામાં લગભગ 75 દિવસનો સમય લાગ્યો હતો, જેનો પ્રથમ પ્રવાસ ૧૫મી એપ્રિલ ૧૯૫૭ના રોજ આરંભાયો હતો અને ૩૦મી જૂને કલકત્તા ખાતે પૂર્ણ થયો હતો.

ચંદ્ર પર કાટ લાગવા અંગેની એક નવી શોધે નિષ્ણાતોને આશ્ચર્યચકિત કર્યા છે. ચંદ્ર પર હવાનો અભાવ હોવા છતાં, ત્યાં હેમેટાઇટ નામનું ખનિજ ફેલાઈ રહ્યું છે. હેમેટાઇટ લોખંડના કાટ જેવું જ છે, જેને બનાવવા માટે સામાન્ય રીતે ઓક્સિજન અને પાણીની જરૂર પડે છે. પરંતુ ચંદ્ર પર ઓક્સિજન અને પાણીની કમી છે, તે જોતાં ચંદ્ર પર હેમેટાઈટ બની ન શકે અને એ જ કારણે ચંદ્ર પર ફેલાતો હેમેટાઇટ વૈજ્ઞાનિકોને મૂંઝવણમાં મૂકે છે. તો પછી ચંદ્ર પર કાટ કેમ લાગી રહ્યો છે? એ માટે જવાબદાર કોણ?

ડૉ. કલામને યાદ કરીએ અને પુસ્તકોની વાત ન આવે એ તો શક્ય જ નથી, તેમનો પુસ્તક પ્રેમ તેમના વ્યક્તિત્વનું એક આગવું પાસું રહ્યું છે. જીવનપર્યંત તેમનામાં જ્ઞાન માટે તરસ રહી હતી. પુસ્તકો તેમના મને વધુ સારી દુનિયાની રચના કરવાનું એકમાત્ર સંસાધન હતું. પુસ્તક માત્ર જ્ઞાનની આપ-લે જ નથી કરતા પરંતુ તે એક મજબૂત સમાજ અને રાષ્ટ્રના નિર્માણ તેમજ પ્રગતિમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

ચંબા - હિમાચલ પ્રદેશ "ધામ"ની આ ભોજન વ્યવસ્થા બધાને એક સમાન આર્થિક સ્થિતિનો અહેસાસ કરાવે છે અને 'સમાજ શું કહેશે' એવું વિચારીને કોઈ દેવાના બોજ નીચે પણ દબાતું નથી. મને તો આ ધામ આર્થિક, શારીરિક અને પર્યાવરણની દ્રષ્ટિએ એક શ્રેષ્ઠ ભોજન વ્યવસ્થા લાગી. તમે જ્યારે પણ ચંબા આવો તો એક વાર આ ચંબયાલી ધામનો આનંદ જરૂર માણજો.

ડાર્વિનનો સિદ્ધાંત એવો છે કે જે જીવ અનુકૂલન સાધી ન શકે તે ટકી ન શકે. મતલબ કે બદલાતી જતી પૃથ્વી સાથે તાલ મિલાવતા રહેવું પડે, તો જ અસ્તિત્વ ટકાવી શકાય. એ જોતા શું ડાયનાસૌર સતત ધરતીની બદલાતી સ્થિતિ સાથે તાલ મિલાવતા રહ્યા હશે ?