Loading...
WhatiRead માં હું યજ્ઞેશ પંડયા આપનું સ્વાગત કરું છું, WhatiRead ની શરૂઆત કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ મેં લંડનથી પ્રકાશિત થતા ગુજરાતી સામયિક 'ગરવી ગુજરાત', 'સંદેશ' અને અન્ય સામાયિક માટે મારા દ્વારા લખેલા કેટલાક પુસ્તક પરિચય, આરોગ્ય સંબંધી અને અન્ય આર્ટિકલ ને એક સ્થાને એકત્રિત કરવાનો, તેમજ મારા વિચારોને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મૂકવા માટેનો છે. ઉપરાંત, મારી આ વેબસાઇટ નું નામ WhatiRead રાખવા પાછળનું કારણ એ છે કે મારે ક્યાંક કંઈક સારુ વાંચવામાં આવ્યું હોય તેને સરળ ભાષામાં અહિયાં આ વેબસાઇટ ઉપર મુકવાનો વિચાર છે. આ ઉપરાંત સગા-મિત્રો, વાચકોને પણ કંઈક સારું વાંચવામાં આવ્યું હોય અને તેઓ પણ તેને લોકો સુધી પહોંચાડવા ઈચ્છતા હોય તો તેમના નામ સાથે તેને અહિયા મુકવાનો વિચાર છે.
WhatiRead માં આપનું સ્વાગત છે. WhatiRead શરૂ કરવાનો ઉદ્દેશ એ છે કે લંડનથી પ્રકાશિત 'ગરવી ગુજરાત', 'સંદેશ' અને અન્ય સામાયિકોમાં મારા દ્વારા લખેલા લેખો, પુસ્તક પરિચય અને આરોગ્ય સંબંધિત માહિતી એક જગ્યાએ લાવવી. આ વેબસાઇટનું નામ WhatiRead રાખવાનું કારણ એ છે કે જ્યાં કંઈક સારું વાંચું, તે સરળ ભાષામાં અહીં શેર કરું. સાથે જ, મિત્રો અને વાચકો પણ જો કંઈક સારું વાંચે અને તેને લોકો સુધી પહોંચાડવા ઈચ્છે, તો તેમના નામ સાથે પણ અહીં મૂકવાનો વિચાર છે. - યજ્ઞેશ પંડ્યા

આયટ્રોફોબિયા ધરાવતી વ્યક્તિ ખૂબ જ બીમાર હોય અથવા ગંભીર બીમારીના ચિહ્નો ધરાવતી હોય ત્યારે પણ ડૉક્ટરને કન્સલ્ટ કરવાનું અને પરિક્ષણો કરાવવાનો ઇનકાર કરી શકે છે. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે ત્યાં સુધી તેઓ તેમની બીમારીના લક્ષણોને અવગણતા જોવા મળે છે.

માથાનો દુખાવો એ સામાન્ય પણ અનેક પ્રકારો ધરાવતો તકલીફજનક અનુભવ છે. મુખ્ય પ્રકારોમાં આધાશીશી, ક્લસ્ટર હેડેક, તણાવસંબંધિત દુખાવો અને દવાઓના વધુ ઉપયોગથી થતો દુખાવો શામેલ છે. દરેક પ્રકારના દુખાવાની લક્ષણો અને કારણો અલગ હોય છે, અને તેની સારવાર પણ તબીબી માર્ગદર્શન મુજબ જુદી હોય છે. જીવનશૈલીમાં ફેરફાર, વૈકલ્પિક ઉપચાર અને યોગ્ય દવાઓથી રાહત મળી શકે છે. સતત અથવા ગંભીર દુખાવા માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

ભારતીય ટીન એજર્સમાં હાઈ બ્લડ પ્રેશરના મુખ્ય કારણોમાં મુખ્યત્વે તેમની લાઈફ સ્ટાઈલ જેમાં બિન આરોગ્યપ્રદ ખોરાક જેમાં મીઠાનું પ્રમાણ વિશેશ હોય, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, મેદસ્વિતા, તેમ જ તનાવ(સ્ટ્રેસ). અન્ય કારણો તપાસીએ તો ફેમિલિ હિસ્ટ્રિ, સ્મોકિંગ અને આલ્કોહૉલની લત, કેટલિક દવાઓ તેમ જ કિડનીનો કોઈ રોગ તથા થાઈરરોઈડનો સમાવેશ થાય છે.

બીજા પરિબળની વાત કરીએ તો ભારતના કેટલાક વિસ્તારોમાં સપિંડ લગ્ન સામાજિક રીતે સ્વીકાર્ય છે. આવા વિસ્તારોમાં પ્રતિલોમ વિવાહને બદલે સપિંડ વિવાહ વધારે આવકાર્ય બન્યા છે. પરંતુ જે વિસ્તારોમાં સપિંડ વિવાહને સામાજિક માન્યતા નથી મળી, પ્રતિબંધિત છે, ત્યાં આ પ્રતિલોમ વિવાહને વ્યાપક પ્રમાણમાં સામાજિક સ્વિકૃતિ મળી છે. ભારતીય માનવસંશાઘન વિકાસ મોજણી અનુસાર ભારતમાં શૈક્ષણિક પ્રતિલોમ વિવાહનું પ્રમાણ 1970 માં 5% હતું જે 2020 સુધીમાં વધીને લગભગ 20% જેટલું થયું છે. જો કે, આ વિવાહનું પ્રમાણ વધવા પાછળનું એક કારણ એ પણ છે કે છોકરાઓ કરતાં છોકરીઓને તેમની શૈક્ષણિક લાયકાતના પ્રમાણમાં નાણાકીય વળતર ઉપલબ્ધ નથી થતું, જેના કારણે ભારતીય સમાજની પૈતૃકસતા સામે તેનાથે કોઈ પડકાર ઊભો થતો નથી. આમ, એ સ્પષ્ટ થાય છે કે આ શૈક્ષણિક પ્રતિલોમ વિવાહને સામાજિક માન્યતા એ પશ્ચિમી દેશોની જેમ સ્ત્રી-પુરુષ સમાનતાનું દ્યોતક નથી. ભારતીય સમાજમાં આજે પણ વય, જાતિ તેમજ સામાજિક અને આર્થિક મુદ્દાઓ અંગેનું વલણ યથાવત છે.
On પામેલા ચૌધરીની વાયા પામેલા બોર્ડેસ, પામેલા સિંઘની બદનામી થી ગુમનામી સુધીની સફર.
On ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ : સપનાઓ જોવાની પ્રેરણા, સંઘર્ષ માટે શીખ, અને સફળતા મેળવવાના સૂત્રો
On મોબાઈલ ફોન અને સ્વાસ્થ્ય | આપણા સહુના વધતા જતા સ્ક્રીન ટાઈમ સાથે આપણે તબિયત પણ સાચવવી જરૂરી
On ધામ | ચંબા - હિમાચલ પ્રદેશનો સાંસ્કૃતિક વારસો જે આરોગ્યની સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખે છે.

આપણામાંથી બહુ ઓછા લોકો એ વાતથી વાકેફ છે કે આપણે જેટલો મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરીએ છીએ, તેટલા આપણે મોબાઈલ ફોનના હાનિકારક વધુ રેડિયેશનના સંપર્કમાં આવીએ છીએ. મોબાઇલ ફોન એક રેડિયો ફ્રિકવન્સી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે જે નજીકના સ્ટેશનને શોધવા માટે તમામ દિશામાં પ્રસારે છે. આમ, જો કોઈ વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહી હોય, તો અમુક રેડિયો તરંગો તેના શરીર તરફ પણ સ્વાભાવિક જ જવાના જે તેના શરીરના પેશીઓ દ્વારા ઉર્જા તરીકે શોષાઈ જશે અને શરીરના ચયાપચય દ્વારા ઉત્પાદિત ઊર્જાને આગળ વેગ આપશે.

Reaching the temple, there is a trek of nearly three and a half kilometers through dense forests and rugged trails. On both sides of the path lie deep valleys, and the narrow trail culminates at the mountain peak where the temple is. For adventurers, nature lovers, and pilgrims alike, the journey itself becomes a spiritual experience.

ટોમોફોબિયા ડિસઓર્ડરના મુખ્ય લક્ષણોમાંનું એક ભયજનક વિષય અથવા પરિસ્થિતિને ટાળવાની અતિશય અને ગેરવાજબી ઇચ્છા છે. જ્યારે ડર વ્યક્તિના જ્ઞાનાત્મક અથવા ભાવનાત્મક નિયંત્રણની બહાર હોય અથવા ડર રોજિંદા જીવનની પ્રવૃત્તિઓમાં અસર કરે ત્યારે આ પ્રકારના ડિસઓર્ડરનું નિદાન કરી શકાય છે.

લંડન થી કલકત્તા બસ સેવા જેને યાત્રા પૂર્ણ કરવામાં લગભગ 75 દિવસનો સમય લાગ્યો હતો, જેનો પ્રથમ પ્રવાસ ૧૫મી એપ્રિલ ૧૯૫૭ના રોજ આરંભાયો હતો અને ૩૦મી જૂને કલકત્તા ખાતે પૂર્ણ થયો હતો.

ચંદ્ર પર કાટ લાગવા અંગેની એક નવી શોધે નિષ્ણાતોને આશ્ચર્યચકિત કર્યા છે. ચંદ્ર પર હવાનો અભાવ હોવા છતાં, ત્યાં હેમેટાઇટ નામનું ખનિજ ફેલાઈ રહ્યું છે. હેમેટાઇટ લોખંડના કાટ જેવું જ છે, જેને બનાવવા માટે સામાન્ય રીતે ઓક્સિજન અને પાણીની જરૂર પડે છે. પરંતુ ચંદ્ર પર ઓક્સિજન અને પાણીની કમી છે, તે જોતાં ચંદ્ર પર હેમેટાઈટ બની ન શકે અને એ જ કારણે ચંદ્ર પર ફેલાતો હેમેટાઇટ વૈજ્ઞાનિકોને મૂંઝવણમાં મૂકે છે. તો પછી ચંદ્ર પર કાટ કેમ લાગી રહ્યો છે? એ માટે જવાબદાર કોણ?

ડૉ. કલામને યાદ કરીએ અને પુસ્તકોની વાત ન આવે એ તો શક્ય જ નથી, તેમનો પુસ્તક પ્રેમ તેમના વ્યક્તિત્વનું એક આગવું પાસું રહ્યું છે. જીવનપર્યંત તેમનામાં જ્ઞાન માટે તરસ રહી હતી. પુસ્તકો તેમના મને વધુ સારી દુનિયાની રચના કરવાનું એકમાત્ર સંસાધન હતું. પુસ્તક માત્ર જ્ઞાનની આપ-લે જ નથી કરતા પરંતુ તે એક મજબૂત સમાજ અને રાષ્ટ્રના નિર્માણ તેમજ પ્રગતિમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

ચંબા - હિમાચલ પ્રદેશ "ધામ"ની આ ભોજન વ્યવસ્થા બધાને એક સમાન આર્થિક સ્થિતિનો અહેસાસ કરાવે છે અને 'સમાજ શું કહેશે' એવું વિચારીને કોઈ દેવાના બોજ નીચે પણ દબાતું નથી. મને તો આ ધામ આર્થિક, શારીરિક અને પર્યાવરણની દ્રષ્ટિએ એક શ્રેષ્ઠ ભોજન વ્યવસ્થા લાગી. તમે જ્યારે પણ ચંબા આવો તો એક વાર આ ચંબયાલી ધામનો આનંદ જરૂર માણજો.

ડાર્વિનનો સિદ્ધાંત એવો છે કે જે જીવ અનુકૂલન સાધી ન શકે તે ટકી ન શકે. મતલબ કે બદલાતી જતી પૃથ્વી સાથે તાલ મિલાવતા રહેવું પડે, તો જ અસ્તિત્વ ટકાવી શકાય. એ જોતા શું ડાયનાસૌર સતત ધરતીની બદલાતી સ્થિતિ સાથે તાલ મિલાવતા રહ્યા હશે ?